ઉમરપાડા: Decision Newsને મળેલી તાજા જાણકારી મળ્યા મુજબ ઉમરપાડા તાલુકાના ખાત્રાદેવીના જંગલમાં બિન અતિકૃત હાલતમાં બાઇક મળી આવી હતી તેના આધારે તપાસ હાથ ધરાતા જંગલમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી છે. એવી હાલતમાં શૈલેષભાઇ ઉદેશિગભાઇ વળવી

તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવાન તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આમોદા ગામનો છે. તેનું નામ શૈલેષભાઇ ઉદેશિગભાઇ વળવી છે. તે સુરત સચિન ખાતે ૧૦-૧૨ વર્ષના સમયથી નોકરી ધંધો કરતો હતો.તેમના મિત્રોનું કહેવું છે કે શૈલેષભાઇએ અમને સચિન થી સુરત સિટી જાવ છું એમ કહ્યું હતું. શૈલેષભાઇ શનિવારે થી ગુમ થયો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તપાસમાં હાલમાં કોઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી. પરિવાર જનોનો પોલીસ પર આક્ષેપ કરી રહ્યા છે કે આ ઘટનામાં કઈક રંધાય રહ્યું છે અમને શંકા છે કે શૈલેષભાઇએ આત્મહત્યા નથી કરી એમની પ્લાનીગ સાથે હત્યા કરવામાં આવી છે. જો પોલીસ સરખી રીતે આ ઘટનાની તપાસ કરે તો ઘણા ભેદો ખુલી શકે છે. શૈલેષભાઇના મોટા ભાઈનું કહેવું છે કે અમારા એ જ સ્થળ ઉપર કુટુંબમાં એવી જ ધટના બીજી વાર થઇ છે. પહેલાં  દિશીષભાઇ વળવી મોરંબા એવી ધટના 2017માં બની હતી. અમે પોલીસના જવાબદાર અધિકારીઓ પાસે ન્યાય ની આશા રાખીએ છીએ કે તેઓ સાચી તપાસ કરે અને સત્ય બહાર લાવે.