ધરમપુર: સ્ત્રી કેળવણી અને સામાજિક જનજાગૃતિ,ગરીબ પરિવારોને જીવન નિર્વાહ માટેની સહાય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કામગીરી કરી રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ 18/12/22 ના ગણદેવી તાલુકાના ધનોરી અને ચાંગા ગામમાં અને ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 3 ગરીબ બાળાઓને ગરીબીના કારણે ભણતર નહીં અટકે તે માટે પ્રોત્સાહનરૂપે આર્થિક મદદ કરવામાં આવી.

જુઓ વિડિઓ…

 

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નવસારીના અગ્રગણ્ય રેડિયોલોજીસ્ટ ડો.ચેતન પટેલને સ્થાનિક યુવાનો સંજય હળપતી અને હાર્દિક રાઠોડ દ્વારા ગણદેવી તાલુકાની દિકરી આરતી હળપતિના પિતાનું 6 વર્ષ પૂર્વે અવસાન થતાં માતાએ કાળી મજૂરી અને મોટી બહેને પોતાનું ભણતર છોડીને નોકરી કરીને આરતીને ડોક્ટર બનાવવાના અરમાનો સાથે ભણવા માટે મોકલી હોવાની હકીકત જણાવતાં એમણે સમસ્ત આદિવાસી સમાજની ટીમને જાણ કરતાં તાત્કાલિક ધોરણે આદિવાસી સમાજની ટીમ મદદ માટે દિકરીના ઘરે પહોંચી હતી. અન્ય બે પરિવારો પણ ખેતમજૂરી કરી કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા ભવિષ્યમાં જયારે પણ જરૂર પડે દરેકે દિકરીઓના વાલીઓને બાંહેધારી આપી કોઈપણ ગરીબ દિકરા-દિકરીનું ભણતર માત્ર તેની આર્થિક પરિસ્થિતિને કારણે અટકવું નહીં જોઈએ વિષય પર ભાર આપી ભવિષ્યમાં પણ આવા કોઈપણ જરૂરિયાતમંદ બાળકોને ભણાવવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરીશું એવો નિર્ધાર જાહેર કર્યો હતો.અને નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દરેક વાળીઓને જણાવવામાં આવ્યું કે આવી જ રીતે તમારા બાળકો ભણીગણી કમાતા થાય ત્યારે તમારા બાળકોને એટલું ચોક્કસથી શીખવાડજો કે આવી રીતે કોઈપણ સમાજના ગરીબ બાળકોને ભણવામાં મદદરૂપ થશે. અન્યથા ઘણીવાર એવા કિસ્સાઓ બન્યા છે કે આવા બાળકો સારી નોકરી મેળવી લીધા પછી સમાજના ગરીબોને મદદરૂપ થતાં નથી ત્યારે પારાવાર દુઃખ થાય છે.આ પ્રસંગે નિવૃત ખેતીવાડી અધિકારી ધનસુખભાઇ,ડો.દિવ્યાંગી,ડો.નીરવ ગાયનેક, ડો.કૃણાલ,ડો.પંકજ, ડો.પ્રિયેશ, મુકેશભાઈ, કીર્તિભાઇ, મીંતેશભાઈ, દલપતભાઈ, રમેશભાઈ, ઠાકોરભાઈ, હસમુખભાઈ, મયુર, ઉમેશભાઈમોગરાવાડી, ભાવેશ, ભાવિન, ઉમેશભાઈ વાડ, દલપતભાઈ, ભૂમિક,કાર્તિક, પથિક,જીતેન્દ્ર,હિરેન,સાગર સહિતના ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતાં.