નાશિક: લોકો સારા અભ્યાસ માટે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની લાડલીઓને છાત્રાલયાં મૂકતા હોય છે પરંતુ ત્યાં પણ બેઠેલા નરાધમો દ્વારા તેમનું શારીરિક અને માનશીક શોષણ કરવામાં આવતું હોય છે આવી જ એક ઘટના લોહી ઉકળી ઉઠે એવી નાસિકના એક આશ્રમમાંથી ઘટના સામે આવી છે

Decision Newsને નામ ન જણવાની શરતે મળેલી માહિતી મુજબ નાશિકના મ્હસરુળ વિસ્તારમાં 24 નવેમ્બર ના રોજ એક આધારાશ્રમમાં ભણતી 14 વર્ષની સગીરા પર સંચાલકે બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટના બહાર આવતા પોલીસે બળાત્કાર અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરતાં આધારાશ્રમમાં રહેતી અન્ય નિવાસી સગીરાઓની પૂછપરછ કરતા આશ્રમની વધુ ચાર સગીરાઓ પર અત્યાચાર થયો હોવાનું બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસ તપાસમાં સગીરાના નિવેદન મુજબ ધ કિંગ ફાઉન્ડનેશન સંસ્થા સંચાલિત જ્ઞાાનદીપ ગુરુકુલ આશ્રમના સંચાલક 13 ઓકટોબર 2022ના રાત્રે બાર વાગ્યે હર્ષલ મોરે ઉર્ફે સોનુસર સગીરા પાસે આવ્યા હતા અને તેનો હાથ ખેંચી તેને એક રૂમમાં લઈ ગયા હતા. અને સગીરાને અશ્લીલ વીડિયો દેખાડી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ  સગીરા પોતાના રૂમમાં ગઈ અને પોતાની આપબીતી અન્ય વિદ્યાર્થિનીઓને કરતાં અમુક વિદ્યાર્થિનીઓએ તેમની સાથે પણ આ પ્રકારનો અત્યાચાર થયો હોવાનું જણાવ્યું હતું.

અન્ય પીડિતાના નિવેદન નોંધી આરોપી સામે વધુ ચાર સગીરા પર બળાત્કાર ગુજારવાનો ગુનો અને પોક્સો કાયદા તેમ જ એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી હાલમાં પોલીસે આરોપી હર્ષલ મોરે ઉર્ફે સોનુ સરની ધરપકડ કરી છે. આવી ઘટના ગુજરાતમાં ન ઘટે એની અગમચેતી દરેક માં બાપે લેવી ઘટે.