ર્મદા: ગતરોજ નાંદોદ તાલુકાના નરખડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નિતાબેન મોકમભાઇ પટેલ નરખડી ગામમાં આવેલ ખેતીની જમીનના એક માલિક દ્વારા પોતાની જમીનમાં ખેતીને લગતા સાધનો, બીયારણ, ખાતર વગેરે સામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવી હતી. જેમાં વીજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરેલ હતી. જે કાર્યવાહી કરવા માટે મહિલા તલાટી નીતા પટેલે આ જમીન માલિક અને તેમના સાથી પાસે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. તે લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર ખાતે હાજર મહેશભાઇ અમૃતભાઇ આહજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું.

મોબાઇલ ફોન પર રૂપિયાની લેવડ દેવડની વાત કરી
બીજીબાજુ જાગૃત નાગરિક અને જમીન મલિક આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબી સુરતનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહિલના સુપર વિઝનમાં પીઆઇ એ.કે.ચૌહાણ ફિલ્ડ સુરતના સ્ટાફ દ્વારા જે ફરીયાદ આધારે 22સપ્ટેમ્બર 2022ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. મહિલા તલાટી નીતા પટેલ અને તેનો સાથી મહેશ આહજોલીયાએ મોબાઇલ ફોન પર રૂપિયાની લેવડ દેવડની વાત કરી હતી.