ડેડિયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા સામરપાડા, તા ડેડિયાપાડા, જિ. નર્મદામાં આજરોજ મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ વડોદરા દ્રારા સવારે ૦૭:૧૫ કલાકે શાળાની ઓચિંતી મુલાકાત લેવામા આવી હતી

જેમા આશ્રમશાળાને લગતા તમામ મુદ્દાઓ આવરી લઇ ઝીણવટ પુર્વક નિરીક્ષણ હાથ ધરી ખાસ નોધ કરી હતી. સાથે સાથે આરોગ્ય , શિક્ષણ , નિવાસસ્થાન સ્વચ્છતા જેવા અનેક મુદ્દાઓ ઉપર શિક્ષકોને મીઠી ટકોર કરી માર્ગદર્શન આપી સુચન પણ કર્યુ હતુ અંતે બાળકોને મોટિવેશન સ્પીચ આપી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

જો દક્ષિણ ગુજરાતની અન્ય આશ્રમશાળાઓમાં આવા અધિકારીઓ ઘણાં ઘણાં સમયે મુલાકાત લે તો આવનારા સમયમાં આશ્રમશાળાઓ બહેતર શિક્ષણ થઇ જાય એ નક્કી છે.