કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના-181 કાર્યક્રમ અંતર્ગત ધારણમાળ, ટુકવાડા, ભાથેરી અને કુંભસેત જેવા ગામોની મુલાકાત વલસાડની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ દ્વારા લેવામાં આવી હતી અને ત્યાં રેહતા આદિવાસી લોકોના મૂંઝવણ ભર્યા પ્રશ્નો સંભાળ્યા હતા.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે વલસાડની જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી. પટેલની સામે સ્થાનિક લોકોએ પાણી પ્રશ્ન, ફોરેસ્ટ જમીન, સુચિત રીવરલીંક – ડેમ અને શિક્ષણ, શિક્ષિત બેરોજગારની વગેરે મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી.

આ પ્રસંગે અશ્વિનભાઇ, પાંડુભાઈ, કાસુભાઈ, ધર્મસિંહ વી. પટેલ, ગુનાભાઈ, સીતારામભાઈ, ત્ર્યંબકેશ્વરભાઈ, રમેશભાઈ અને જાનુભાઇ તથા સરપંચશ્રીઓ, માજી સરપંચશ્રીઓ તથા યુવા આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી હતી.