વઘઈ: ડાંગના વઘઇ તાલુકમાં રાજેન્દ્રપુર ફળીયામાં પતિ પત્નીનાં ઝગડામાં પતિએ ગુસ્સામાં આવી ઘરમાં રહેલ પાવડા વડે પત્નીનાં માથા તેમજ શરીરનાં ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી ચુપચાપ સળગાવિ દેવાના પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ગીતાબેનનાં લગ્ન વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામનાં નિલેશભાઈ વાઘ સાથે થયા હતા. લગ્નનાં પાંચ વર્ષ બાદ છુટાછેડા થઈ ગયા અને છેલ્લા બે વર્ષથી ગીતાબેન વઘઇનાં રાજેન્દ્રપુરમાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈ કુંવર સાથે પ્રભુતામાં પગલા પાડી લગ્ન જીવન જીવતા હતા. ગતરોજ મુકેશભાઈને જાણ કર્યા વગર  પત્ની ગીતાબેન ફોઈને મળવા માટે વઘઇના બારખાંદીયા ગામે ગયા હતા ત્યાંથી મોડી સાંજના પાછા ફરતાં ઘરે આવતા જ પતિ મુકેશભાઈ કુંવરે ઝગડો ચાલુ કર્યો અને ઝગડોમાં ઉશ્કેરાઈને પાવડા વડે ગીતાબેન કુંવરનાં માથાનાં તથા હાથ અને પગમાં માર મારી મોતને ઘાટ ઉતારી દીધી અને ચુપચાપ પત્નીને મોતને ઘાટ ઉતારી લાશને સળગાવવા માટેની તૈયારી કરી લીધી હતી  આ ઉપરાંત આરોપી પતિએ પત્નીની હત્યા કર્યા બાદ અમુક કપડા સળગાવી દઈ પુરાવા પણ નાશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગીતાબેનના ભાઈએ આરોપી મુકેશભાઈ સુરેશભાઈ કુંવર વિરુદ્ધ વઘઇ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવિ છે પોલીસે ગણતરીનાં કલાકમાં જ ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી તેની વધુ તપાસ હાથ ધરી છે.