દેશમાં કોરોનાની બીજી લહેર પછી ત્રીજી લહેર ચોક્કસપણે આવશેની સંભાવના જોવાઈ રહી હતી ત્યારે મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ હવે કહ્યું છે કે ડિસેમ્બરમાં કોરોના વાયરસ રોગચાળાની ત્રીજી લહેર આવવાની વાત કહી છે જોકે તેમનું કહેવું છે તેની અસર થોડી હળવી રહેશે.

કોરોના ત્રીજી લહેર સાથે પાછો આવી રહ્યો છે ત્યારે ડોન ફિલ્મનો એ ડાયલોગને કોરોના સંદર્ભે ટાંકી શકાય કે  આ રહા હું લોટ કે વાપસ.. મુઝે પહેચાનો મેં હું કોન.. મેં હું કોરોના ! ટોપેએ જણાવ્યું હતું કે તેઓએ ગયા અઠવાડિયે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મળ્યા હતા અને આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ, વરિષ્ઠ નાગરિકો અને ચેપના સંવેદનશીલ વર્ગોને રસીના બૂસ્ટર ડોઝ આપવા માટે કેન્દ્રની પરવાનગી માંગી હતી જેના જવાબમાં માંડવિયાએ કહ્યું કે તેઓ આ મુદ્દે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) સાથે ચર્ચા કરશે અને જાણ કરશે.’

તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે બીજી લહેરની જેમ ત્રીજી લહેરની અપેક્ષા નથી અને ડિસેમ્બરના અંતથી ફેબ્રુઆરી વચ્ચે કેસ વધી શકે છે પરંતુ તેની અસર હળવી રહેશે.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Decision News ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો