નવસારી: કાશ્મીરમાં રોજેરોજ આતંકવાદી સાથે અથડામણમાં જવાનો શહીદી વહોરી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નવસારીના શહીદોની દેશભક્તિને કુરબાની બિરદાવવા મશાલરેલી આયોજન કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ મશાલ રેલી ફુવારાથી નીકળી ગોલવાડ ગેટ થી ચાંદનીચોક થઈ નવસારી નગરપાલિકા ખાતે આવી પોહચી હતી આ રેલીમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શૈલેશ પટેલ, મહિલા કોંગ્રેસના પ્રમુખ ફાલ્ગુનીબેન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ નાયક, સી.પી.નાયક સહિતના કોંગ્રેસી આગેવાનો અને યુવા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ મશાલ રેલીના કાર્યક્રમનું આયોજન નવસારી જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પિયુષ ઢીમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં યુવા કોંગ્રેસી કાર્યકર્તા અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો જોડાયા હતા.