ડાંગ: ગુજરાત ભાજપ સરકાર દ્રારા અગામી 2 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રાનો કાર્યક્રમનો આયોજન થયું છે. જેમાં ડાંગ જિલ્લામાં ગુજરાતનાં કલ્પસર અને મત્સ્યોધોગ(સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપતી અને પાણી પુરવઠા વિભાગનાં રાજ્યકક્ષા મંત્રી જીતુભાઈ ચૌધરીના આગેવાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ માં સવારે 8:30 વાગે આહવા નાં ગાંધીબાગ ખાતે આવેલ મહાત્માં ગાંધીજીની પ્રતમાં ને પુષ્પાંજલી અર્પણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવશે,ત્યાર બાદ 9:00 કલાકે આહવા ખાદી ભંડારની મુલાકાત કરવામાં આવનાર છે ,સમય 9 થી 10:30 સુધી આહવા ડાંગ દરબાર હોલ ખાતે સભાને સંબોધન કરશે ત્યાર બાદ 11:30 કલાકે બીલમાળ ખાતે તુલશીગઢ ધામની મુલાકાત કરવામાં આવશે 12:30 કલાકે શામગહાન ખાતે કાર્યકર્તાઓ મંત્રી શ્રી જીતુભાઈનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે જયાં ભોજન લીધા બાદ 13:45 કલાકે શિવારીમાળ ખાતે વૈદહી આશ્રમની મુલાકાત કરનાર છે 14:15 કલાકે સાકળપાતળ ખાતે કાર્યકર્તાઓ દ્રારા સ્વાગત કરવામાં આવનાર છે 14:45 કલાકે વધઈ ખાતે ડાંગ જિલ્લા ભાજપનાં પુર્વ પ્રમુખ અને સામાજીક અગ્રણી ધનશ્યામભાઈની મુલાકાત કરી પરત ગાંધીનગર જવા રવાનાં થનાર છે

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડાંગ જિલ્લા પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા મહામંત્રીઓ તથા કાર્યકર્તાઓ થકી કરવામાં આવ્યુ છે.