વાંસદા: નવસારી જિલ્લામાં હાલમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે તેમાં વધુ એક ઉમેરતા હોય તેમ આજરોજ વાંસદા તાલુકાના કંડોલપાડા ગામમાં નવાનગરના રહેતા ધનુબેન રાજેશભાઈ અને રમેશભાઈ છગનભાઈએ લાખાવાડી ગામના જંગલમાં જઈ આત્મહત્યા કરવાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision News સાથે વાત કરતાં કંડોલપાડાના સરપંચશ્રીના પતિ રમેશભાઈએ જણાવ્યું હતું કે કંડોલપાડાના નવાનગરમાં રહેતાં આદિમજૂથના રમેશભાઈ છગનભાઈ (જેની પત્ની પિયર જાતિ રહી છે અને ધનુબેન રાજેશભાઈ (જે હાલમાં વિધવા છે) આ બંને વચ્ચે પ્રેમ પાંગરીયો હતો અને બંને સબંધમાં હતા પણ બંનેના આ પ્રેમ સબંધને સમાજ સ્વીકારશે નહિ ના ડરને કારણે કદાચ લાખાવાડી ગામના સુમસામ જગ્યાએ જઈને બંનેએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે આ ઘટના કદાચ કાલે થઇ હશે મને પણ જ્યારે ગામના બકરા ચરાવવા ગયેલા ગોવાળિયા દ્વારા આ ઘટનાની ખબર પડી હતી. જુઓ આ વીડિઓ માં…

તાજા જાણકારી મળ્યા સુધીમાં પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્તઃલે પોહચી ગઈ હતી અને લાશને ઝાડ પરથી ઉતારી લાશનો કબજો લઇ PM માટે વાંસદાની કોટેજ હોસ્પિટલમાંઆ લાશને ખસેડવામાં આવી છે. વાંસદા પોલીસ આ ઘટના વિષે વધુ તપાસ શરુ કરી દેવામાં આવી છે