દાનહ: આજરોજ દાદરા નગર હવેલીની લોક જનશક્તિ પાર્ટી કાર્યાલયમાં રાષ્ટ્રીય લોજપા સંસ્થાપક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વગીય રામવિલાસ પાસવનજી જન્મ જ્યંતી ઉજવામાં આવી હતી જેમાં દાનહના લોજપાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ બધાજ કાર્યકર્તાઓએ સ્વર્ગીય રામવિલાસ પાસવનજીના ફોટોગ્રાફ્સ પર પુષ્પની હાર ચડાવવામાં આવી હતી આ પ્રસંગે લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગ પાસવન રાજન સોંલકી અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાર્ટીને મજબુત કરવા રણનીતિ ઘડી અગામી સમયમાં પાર્ટી કેવી રીતે આગળ વધશે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી

લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ચિરાગ પાસવનના દ્વારા શરુ કરવામાં આવેલી આશીર્વાદ યાત્રા જે પ્રકારે શરૂવાત કરી છે તેવી જ રીતે દાદરા નગર હવેલીમાં પણ બધી જ પંચાયતોમાં પણ પાર્ટી મજબુત બને તે માટે કાર્ય કરવામાં આવશે  ચિરાગ પાસવાને જણાવ્યું કે આગામી આવનારી ચુંટણીમાં લોજપા પાર્ટી ઉમેદવારો મેદાન પર ઉતારશે અને પાર્ટીને મજબુત બનાવવાના તમામ પ્રયત્નો કરવામાં આવશે.