ધરમપુર: આજરોજ  મ્યુકરમાઈકોસીસ રોગની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળી રહે એ બાબતે નાની ઢોલડુંગરી ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સહિત આદિવાસી એકતા પરિષદ ના કમલેશ પટેલ દ્રારા દ્રારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને અપક્ષના સભ્ય કલ્પેશભાઈ જણાવે છે કે રાજસ્થાનની સરકારે ચિરંજીવી યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસની સારવાર માટે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવાની જાહેરાત કરી છે આ જ પ્રમાણે ગુજરાત સરકારે પણ કોઈ પ્રકારની યોજના હેઠળ મ્યુકરમાઈકોસીસની સારવારને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવાની જાહેરાત કરવી જોઈએ.

આદિવાસી એકતા પરિષદ ના કમલેશ પટેલનું કહેવું છે અમારા વિસ્તારમાં હાલમાં વેકશીનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી જેનાથી પૂરતા પ્રમાણમાં વેકસીન થતું નથી તો વહેલી તકે વેકસીનનો જથ્થો અમારા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તેવી અપીલ કરીએ છીએ.