કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને આસપાસના વિસ્તારમાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ, BTP ની કારમી હાર થઈ છે. જે વિસ્તાર અસરગ્રસ્ત હતા ત્યાં ભાજપનો વિજય થયો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસના 6 ગામમાં ભાજપનો વિજય નોંધાયો છે, કેવડિયા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત થઈ છે.

નર્મદા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. આ વિસ્તારમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ભરૂચ અને નર્મદા જિલ્લા આદિવાસી વિસ્તાર છે. જેમાં નેત્રંગને બાદ કરતા તમામ જગ્યાએ ભાજપે બહુમત પ્રાપ્ત કરી છે. અને BTPને અમે હરાવવામાં સફળ રહ્યા છે.

નર્મદાના આસપાસ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને ઈકો સેન્સેટીવ ઝોનમાં વિરોધ છતાં 6 જેટલા ગામમાં ભાજપની જીત પર મનસુખ વસાવાએ કહ્યું કે, અમે લોકો સાથે સંવાદ અને તેમની સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી કરી છે. માત્ર વિરોધ કરવાથી પ્રશ્નોનો ઉકેલ થવાનો નથી.