પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી : ચીખલી તાલુકાના ખાંભલા ગામના સરપંચ રમીલાબેન નિલેશભાઇ પટેલ, ઉપસરપંચ ઝનુબેન દિનકરભાઇ પટેલ, ઉપસરપંચના પતિ દિનકરભાઇ ખાલપભાઇ પટેલ અને તલાટી કમ મંત્રીએ વર્ષ 2020 દરમિયાન એકમેકના હોદ્દાનો દુર ઉપયોગ કરી ગામને આર્થિક નુકશાન પહોંચાડવાનું ષડયંત્ર કર્યાની જાણકારી મળી હતી.

મળેલી માહિતી મુજબ જોઈએ તો ગામમાં નદીના ખરાબામાં આવેલ સરકારની માલીકીના અને ખાંભડા ગ્રામ પંચાયતના કબજાના દેશી બાવળના 61 જેટલા બાવળના મોટા ઝાડ કોઇની પણ પરવાનગી વિના  વેચી દીધેલા ઘટના સામે આવી છે. આ બાબતની જાણ ગામના લોકોને થતા ગ્રામજનોએ અગાઉ કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે નદી કિનારે 61 બાવળના ઝાડ વેચીને આશરે રૂ. 1,50,000/ ની કિંમતની કમાણી ઉપાચત કરેલ છે. લોકોની કહેવું છે કે આરોપીઓએ દેશી બાવળના ઝાડ ગેરકાયદેસર રીતે કાપી-કપાવી પર્યાવરણને પણ ગંભીર નુકશાન પોહ્ચાડીયું છે.

લોકો અને પરંપરાગત રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ ધર્મેશભાઇ પટેલે નવસારી SPને આવેદન આપી માંગ છે કે આ બાબતે ઝાડ કાપીને કરેલી કમાણીના નાણાં ગ્રામપંચાયત કે સરકારમાં જમા કરાવવામાં આવે અને ઉપાચત કરી ભ્રષ્ટાચાર આચરનારા લોકો પર કાયદેસરના પગલા ભરવામાં આવવા જોઈએ