પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 535 કેસ નોંધાયા છે. જેની સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4360 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે.

રાજ્યમાં આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 109, સુરતમાં 94, વડોદરામાં 101, રાજકોટમાં 78, જૂનાગઢમાં 19, ગાંધીનગરમાં 15, દાહોદમાં 12, કચ્છ, જામનગરમાં 11, મોરબીમાં 10-10, ખેડામાં 9, આણંદ, ગીર સોમનાથમાં 6-6 સહિત કુલ 535 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 3 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 185, સુરતમાં 144, વડોદરામાં 64, રાજકોટમાં 91, કચ્છમાં 47, આણંદમાં 26, નર્મદામાં 20, જામનગરમાં 16, સાબરકાંઠામાં 15 સહિત 738 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 6850 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 55 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6795 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,43,639દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.