રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,47,228 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 9250 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,33,660 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 9189 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાના કારણે 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે.અમદાવાદ કોર્પોરેશનમાં 2, બોટાદ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત નીપજ્યા હતા.
આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં, અમદાવાદ કોર્પોરેશનમાં 146, સુરત કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 51, કચ્છ 32, વડોદરા-30, રાજકોટ-25,સુરત 23, આણંદ 17, ભરૂચ 15, મહેસાણા 14, પંચમહાલ 14, મોરબી 13, ગાંધીનગર 12, દાહોદ 11 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે કુલ 938 દર્દી સાજા થયા હતા અને 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)