વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોમાં ધીમે ધીમે રોષ વધી રહ્યો છે હાલ ખેડૂતો કોર્પોરેટ સેક્ટરને ટાર્ગેટ કરવા લાગ્યા છે. પંજાબમાં માત્ર ૨૪ કલાકમાં જ ખેડૂતો અને અન્યોએ આશરે ૧૭૬ જેટલા મોબાઇલ ટાવરને તોડી નાખ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં આશરે ૧૪૧૧ જેટલા ટાવરના ટ્રાંસમિશનને તોડી નાખવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે પંજાબના વિવિધ સ્થળોએ શનિવારથી અત્યાર સુધીમાં આશરે ૧૭૬ જેટલા ટેલિકોમ ટાવરના ટ્રાંસમિશનને તોડી નખાયા છે, જે પણ ટાવર તોડવામાં આવ્યા છે તે કંપનીઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે સંકળાયેલી છે. ખેડૂતોને એવો ભય છે કે નવા કૃષિ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને જ ફાયદો થાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. જેને પગલે અગાઉ આ ટેલિકોમ કંપનીઓના સીમકાર્ડનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો જ્યારે હવે તેના ટાવર પણ તોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા આશરે ૧૪૧૧ જેટલા ટાવરના ટ્રાંસમિશન તોડી નાખવામાં આવ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતો અનુશાસનનું પાલન કરી રહ્યા છે તે જ રીતે પંજાબમાં પણ અનુશાસન જાળવવામાં આવે. જોકે મુખ્ય પ્રધાન અમરિંદરસિંહની વિનંતીની ખેડૂતો પર કોઇ જ અસર નથી થઇ રહી. બીજી તરફ દિલ્હીના સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને અન્ય રાજ્યોના ખેડૂતોનો સહકાર મળી રહ્યો છે. આ આંદોલનને સફળ બનાવવા લેવાય રહેલા નિર્ણયોનું પરિણામ આવશે એ આવનારો સમય પર જ છોડવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)