નવસારી: વલસાડના સાંસદ ધવલ પટેલે વાપી-શામળાજી હાઈવેની જર્જરિત સ્થિતિને લઈને એક્શન લીધો છે. તેમણે NHAI ના અધિકારીઓને સ્થળ પર બોલાવીને હાઈવેની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.સાંસદે પોતાનો કાફલો હાઈવે પર રોકીને અધિકારીઓ સાથે સમારકામ અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા હાઈવે પર લોકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવા રોડ માટે મંજૂરી આપી દીધી છે.
NHAIના અધિકારી અનુજ શર્માએ જણાવ્યું કે 104 કિલોમીટર રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. Decision news ને મળેલી માહિતી મુજબ એક મહિનાની કામગીરીમાં 60 કિલોમીટરથી વધુ રોડનું નવીનીકરણ પૂર્ણ થઈ ગયું છે.હાલમાં ચોમાસાની સીઝન હોવાથી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. વાંસદા-ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતા હાઈવેના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ચોમાસું પૂર્ણ થયા બાદ બાકીની કામગીરી શરૂ કરવામાં આવશે.
હાઈવેની સમસ્યાને લઈને સાંસદ ધવલ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ગયા વર્ષે મેં ચૂંટાઈને આવ્યો ત્યારે મેં આ હાઈવે જર્જરીત હાલતમાં જાતે જોયા હતા, ત્યારે આ વર્ષે પ્રથમ ચોમાસા વખતે જ હાઇવે ઉપર NHAI અધિકારી સાથે આવીને નવા રોડ નવા બનવાની લઈને એને હાલમાં સમારકામને લઈને તેમની સાથે ચર્ચા કરી છે, આ આદિવાસી પંથક છે એટલે મારા વિસ્તારના લોકોને કોઈ પણ હાલાંકી ન પડે તે માટેના પ્રયત્નો મેં કર્યા છે. ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકડીનો પણ આભાર માનવા માંગું છું કે તેમણે નવા રોડ માટે મંજૂરી આપી દીધી છે.
NHAIના અધિકારી અનુજ શર્મા જણાવ્યું હતું કે, અમે 104 કિલોમીટરના રોડ અને નવા બનાવવાની કામગીરી હાથમાં લીધી છે, જેમાં એક મહિનાથી અમે કામગીરી કરી રહ્યા છે, જેમાં 60થી વધુ કિલોમીટરમાં નવા રોડ બની ગયા છે, પરંતુ હાલમાં ચોમાસુ ચાલતું હોવાથી અમને કામગીરી કરવામાં મુશ્કેલી આવી રહી છે.100 કિલોમીટરમાં વાંસદા ઉનાઈ વિસ્તારમાંથી પસાર થતો આ હાઇવેની કામગીરી હાથમાં લેવામાં આવી છે. આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.

