ગુજરાત: ગુજરાત પ્રવક્તા કોંગ્રેસના મનહર પટેલે વર્તમાન સરકાર પર સંવિધાનની હત્યાના ઉત્સવની ઉજવણીને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે તેમનું કહેવું છે કે ભાજપાની કુપાત્ર સરકાર પાસે હવે ઉત્સવોના કોઈ મુદ્દા નથી રહ્યા એટલે “હત્યા” ની ઉજવણી કરવાની જાહેરાત કરી…અરે ભાઈ સંવિધાનની હત્યા થઈ હોઈ તો હત્યાની ઉજવણી કરવાની હોઈ ? હત્યા ની ઉજવણી ?

મોદી સરકારની મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા 11 વર્ષથી અઘોષિત ઇમરજન્સીનો જનતા ભોગ બની રહી છે, રોજ સંવિધાનના ધજીયા ઉડી રહ્યા છે એજ ભ્રષ્ટ ભાજપા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે ? ભારત પહેલો દેશ છે કે કોઈ “હત્યા” ની ઉજવણી સરકારી તંત્ર પાસે શૈક્ષણિક સંસ્થાઓ પાસે કરાવીને બૌદ્ધિક ઝેર ફેલાવવાનુ કામ કરતો હોય…

સંવિધાન દિવસે સંવિધાનને મજબૂતાઈના વાઘા પહેરાવીને તેના થકી જનતાને તેના અધિકારોથી સુરક્ષિત કરવાનો વિચાર કરવાને બદલે ભાજપાની કુપાત્ર સરકાર સંવિધાન હત્યા દિવસની ઉજવણીના ઓઠા નીચે જનતાને જોતરીને સંવિધાનના ખરેખર અધિકારોથી વંચિત રાખવાનુ કારસ્તાન સફળ બનાવવાનો આ પરિપત્ર છે. ધિક્કાર છે આ કુપાત્ર સરકારને….


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here