વાપી: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વાપીના ભાજપના સક્રિય કાર્યકર્તા અને સમાજ અગ્રણી એવા બદરૂદ્દીન હાલાણી તેમજ યાસ્મિનાબેન હાલાણી અને મલેકબેન હાલાણીનું દુઃખદ નિધન થતા ગતરોજવાપી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયુ હતુ.
Decision news ને મળતી માહિતી મુજબ વાપી,ઉમગામ સહિત વલસાડ જિલ્લા ,દમણ અને સેલવાસના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ પ્રથાનાસભામાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર , કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.
આ ઉપરાંત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ,પૂર્વ સાંસદ કે સી પટેલ, વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ,હેમંત પટેલ,મિતેશ દેસાઇ, ચૈતન્ય ભટ્ટ, મહેશભાઇ ભટ્ટ સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૃતકના ભાઈ રાજુભાઇ હાલાણીએ આ દુ:ખની ઘડીમાં સાથ સહકાર આપનારનો આભાર વ્યકત કર્યો હતો.

