વલસાડ: વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે માર્ગ વ્યવસ્થાની દયનીય હાલત હવે જનતાનું સહનશીલતાની સીમા સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 56 પર મહત્વપૂર્ણ લાઇફલાઇન માર્ગો ચોમાસું હોય કે ઉનાળો ખાડાઓથી ભરેલા રહે છે. પ્રશ્ન એ છે કે શું નેશનલ હાઈવે હવે માત્ર કાગળ પર જ છે? કારણ કે જમીન પર તો સ્થિતિ એવી છે કે ગામડાઓના રસ્તાઓ હાઈવે કરતા સારા લાગે છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ વિભાગોને ચોમાસાની સંભવિત ગંભીર સ્થિતિને પહોંચી વળવા “પ્રિ-મોનસૂન એક્શન પ્લાન” લાગુ કરવાનો આદેશ આપ્યો છે. દરેક વિભાગે પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરી લીધા છે જેથી હવામાનની કડક પરિસ્થિતિઓમાં સામાન્ય લોકોના જીવન પર અસર ન થાય. પરંતુ આ યોજનાઓ કાગળ પર જ રહી જાય છે, તો જમીન પર બેકાર રોડ અને ખાડાઓને હકારાત્મક બદલાવમાં ફેરવી શકાશે નહીં.

વર્ષોથી યથાવત સમસ્યા વલસાડમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત સાથે નેશનલ હાઈવે પર મોટા ખાડા પડી જતાં લોકોની યાત્રા દુષ્કર બની જાય છે. ગત વર્ષના ખાડા હજુ સુધી પૂરવામાં આવ્યા નથી, અને નવા ખાડા પડવા લાગ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત આ મુદ્દે ફરિયાદ કરી છે, પરંતુ પરિણામ શુન્ય છે. માત્ર કામ ચલાઉ ધોરણે ખાડા પર ડામર ચોપડી દેવામાં આવે છે,જેને કહીએ પેચ વર્ક. થોડી વાર પછી એજ જગ્યા ફરી પડે છે.એમ કહેવામાં આવે છે કે વરસાદના કારણે રોડ ધોવાઈ જાય છે,પણ પ્રશ્ન એ છે કે શું દરેક વખતે એમ જ કહેવાનું? વરસાદ દરેક રાજ્યમાં જિલ્લામાં પડે છે, પણ દરેક જગ્યાએ રોડ ઓગળી જતાં નથી. પ્રશ્ન એ નથી કે વરસાદ થયો ,પ્રશ્ન એ છે કે રોડ ધોવાઈ જતાં કેમ છે?કરોડો રૂપિયાનો ખર્ચ,પરિણામ શૂન્ય?

રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે, નેશનલ હાઈવે ઓથોરિટીએ કરોડો રૂપિયાનો બજેટ રસ્તા સુધાર માટે ફાળવે છે. પરંતુ જ્યારે રોડ ઓગળી જાય છે, ખાડા પડે છે, દુરઘટનાઓ થાય છે.ત્યારે જવાબદારી કોણ લેશે? શું નાગરિકોના ટેક્સના પૈસાનો ઉપયોગ આ રીતે કચરો બનાવવા માટે થઈ રહ્યો છે?અધિકારીઓનું કામ રોડ બનવાનું મજૂરી અને મટિરિયલના કામની ગુણવત્તા પર આધાર રાખે છે. પણ વાસ્તવમાં થાય છે ભ્રષ્ટાચાર, ચોમાસુંના બહાને ટેન્ડર, અર્ધકચરું કામ અને પછી પૂરવાર કરવાનું કે “વરસાદે ધોવાઈ ગયું”. આ એક વર્ષનું દુઃખ નથી.આ તો વર્ષોથી ચાલુ દુઃખદિર્દ્રતા છે.જવાબદારી કોણે લેવી?જ્યારે રસ્તાઓ દુર્ગતિમાં હોય, ત્યારે એ પ્રશ્ન ઊઠે છે કે જવાબદારી કોણે લેવી જોઈએ? નેશનલ હાઈવે ઓથોરિટી? રાજ્ય સરકાર? કે પછી સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય? ખરેખર તો આ બધા જ લોકો નાગરિકોની સામે જવાબદાર છે. જો આ અધિકારીઓ અને નેતાઓ પોતે એ રસ્તા પર રોજની અવરજવર કરે છે. તો ખાડા તરત જ પડી જાય!

લોકશાહીનો અર્થ છે. જવાબદારી કોની ? ટેકનોલોજી કઈ દિશામાં?અમે “વિકસિત ગુજરાત” અને “મોડેલ સ્ટેટ”ની વાત કરીએ છીએ. પરંતુ એવી ટેકનોલોજી હજુ સુધી અમલમાં નથી જેનાથી રસ્તા ટકાઉ બને? આજે જર્મની, જાપાન, અમેરિકા જેવી જગ્યાએ દાયકાઓ સુધી રસ્તા ચાલે છે.ત્યારે ગુજરાતમાં દર ચોમાસે રસ્તા ઓગળી જાય એ શરમજનક છે.કઈ ટેકનોલોજી છે.આ સમસ્યાના ઉકેલ માટે હવે જનતાએ અવાજ ઉઠાવવો પડશે. સ્થાનિક સ્તરે મીડિયા, પત્રકારો, સામાજિક કાર્યકરો અને નાગરિકો સંઘઠિત થઈને ફરીવાર એજ પ્રશ્ન પુછવો પડશે:કઈ કંપનીને રોડનું કામ સોંપાયું?કેટલો બજેટ ખર્ચાયો?તે ખર્ચ સામે પરિણામ શું?RTI દાખલ કરવી જોઈએ, લેખિત રજૂઆત કરવી જોઈએ અને સોશિયલ મીડિયામાં સત્ય અવાજ પહોચાડવો જોઈએ. મતદાર તરીકે હવે ઊંઘતી સ્થિતિમાંથી ઉઠવાનો સમય આવ્યો છે.

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 56 હાલત એટલી ખરાબ છે કે તેને “હાઈવે” કહીએ તે શરમજનક છે. હવે જનતા, પત્રકાર અને નાગરિક સંગઠનોને આ મુદ્દે ગંભીરતાથી ચિંતન કરવું પડશે. બહાનું નહિ, હવે જવાબદારી જોઈએ. રસ્તા ઠીક થાય એ જરૂરી છે. દેશના હિત માટે આપણા રાષ્ટ્રીય નુકસાન છે. અકસ્માત વાહન વ્યવહાર જાન માલનું રાષ્ટ્રીય સંપત્તિ નુકસાન થાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here