વાંસદા: અંકલાછ ગામનું દંપતિ છોકરાને હોસ્ટેલમાં મળીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યું હતું. દરમિયાન ધરમપુર રોડ પર રવાણીયા ગામના રોંદા ફળિયાં પેટ્રોલ પંપ પાસે સ્કોર્પિયોએ તેમની બાઈકને અડફેટે લેતા દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

અંકલાછ ગામના વાઝીબારી ફળિયામાં રહેતા વિજયભાઈ છનાભાઈ ગાંવિત અને પત્નિ ભારતીબેન વિજયભાઈ ગાંવિત ઘરેથી બાઈક GJ- 21 BE -1898 નબરની પર છોકરાને મળવા માટે ચીખલી તાલુકાના બલવાડા ગામે હોસ્ટેલમાં ગયા હતા. જ્યાંથી બીજા નંબરના છોકરાને માંડવખડક હોસ્ટેલમાં મળીને અંકલાછ ગામે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન વાંસદા તાલુકાના ધરમપુર તરફ જતાં નેશનલ હાઇવે પર રવાણીયા ગામના રોંદા ફળિયા પેટ્રોલ પંપ અંદાજિત બપોરે 2:30 કલાકે સ્કોર્પિયો MP-14 TC- 0279 નબરનો ચાલક અમર કરૂનાથ નામનો વાંસદા, મોગરાવાડી આંખની હોસ્પિટલની આગળ, શૈલેષ પપ્પુભાઈના ભાડાના મકાનમાં, મૂળ રહે. પીપળીયા રતન, મંદોસર, એમપીના રહેવાસીએ વાહન પૂરઝડપે હંકારી સામેથી બાઈક સવાર દંપતીને અડફેટે લેતા બંને રોડ પર પટકાયા હતા.

સ્કોર્પિયો ચાલકે ઢસડી લઈ જતાં દંપતિને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે દંપતીને ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં આજુબાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ વાતની જાણ વાંસદા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ કોટેજ હોસ્પિટલમાં લઈ જઈ પીએમ રૂમમાં મૂકવામાં આવી હતી.

આ બનાવની જાણ મૃતકના ભાઈ દિલીપભાઈ છનાભાઈ ગાંવિતે સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે સ્કોર્પિયો ચાલકની અટક કરી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મરનાર દંપતિને ત્રણ છોકરા છે, મોટો છોકરો હર્ષકુમાર ધોરણ 11માં અને બીજા નંબરનો હિરેન ધોરણ 9માં ચીખલી તાલુકાના બલવાડામાં અભ્યાસ કરે છે જ્યારે ત્રીજા નંબરનો છોકરો મોહિતકુમાર ધોરણ 6માં ચીખલી તાલુકાના માંડવખડકમાં અભ્યાસ કરે છે. તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here