વલસાડ: કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળા ના કેસો નોંધાયા છે આમાં ડેન્ગ્યુના 15 અને મેલેરિયાના 3 કેસનો સમાવેશ થાય છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા જિલ્લા આરોગ્ય વિભાગની 800 જેટલી ટીમો સર્વેલન્સની કામગીરી સોંપાઈ છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાલમાં ડોર-ટુ-ડોર સર્વે સાથે નિરક્ષણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારોમાં બાંધકામની જગ્યાએ પંચરની દુકાનોમાં વગેરે સ્થળ પાણી એકઠું ન થાય તે માટે વિશેષ સૂચનો આપવામાંની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત પક્ષીઓ માટે પાણીની કુંડીઓને ચોમાસા દરમિયાન ઊંધી કરવાની સલાહ આપવામાં આવી છે. ખુલ્લા તળાવોમાં મચ્છરના ઈંડા ખાનારી માછલીઓ છોડવામાં આવી રહી છે. ફ્રિજ અને AC માંથી નીકળતા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે લોકોને કહેવાય રહ્યું છે. શાળાઓ અને સોસાયટીઓમાં મચ્છર જન્ય રોગચાળાનું જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.

