વલસાડ: આપણે સૌ જાણીએ છીએ કે દર્દીઓના સ્વાસ્થ્ય માટે લોહીની જરૂરિયાત કેટલી મહત્વની હોય છે અને દુનિયાની કોઈ કંપની આ લોહી બનાવી શક્તિ નથી ત્યારે આપણે રક્તદાતાઓનું વેલ્યૂ ખબર પડતી હોય છે ત્યારે આ રહ્યા આજના યુવાનો માટે ગૌરવ અને પ્રેરણારૂપ રક્તદાતાઓ

બિપિન પટેલ જણાવે છે કે સમાજ માનસિક રીતે સ્વસ્થ બને તે માટે ગામડાઓમાં પુસ્તકાલયોની સ્થાપના કરનાર અને શારીરિક રીતે સ્વસ્થ અને મજબૂત બને તે માટે રકતદાન કેમ્પ કરનાર શિક્ષક શંકરભાઈ પટેલ (આવધા પ્રાથમિક સ્કૂલ) નો ફોન આવ્યો કે મારું ૫૦મુ રકતદાન છે. (54 રકતદાન કૅમ્પો દ્વારા 2000 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરનાર) તમે રકતદાન કેન્દ્ર વલસાડ આવો. ત્યાં ગયા તો રકતદાન કેન્દ્ર ઉપર ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલ કે જેઓ વલસાડ જિલ્લામાં સામાજિક વિકાસકાર્યો, રકતદાન કૅમ્પો અને પર્યાવરણ જાળવણી માટે અગ્રેસર રહ્યા છે.

વધુમાં તેમનું કહેવું હતું કે તેઓ પણ પિયુષભાઈ સંતોકી કે જેઓ નિઃ સ્વાર્થભાવે જરૂરીયાત મંદ દર્દીઓને માટે 121 મી વાર રકતદાન કરી રહ્યા હતા તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. રકતદાન સંદર્ભે અનેક ગેરમાન્યતાઓ દૂર કરી કોઈના જીવનમાં ખુશી આવે તે માટે હસતા હસતા રકતદાન કરનારા તમામ રક્તદાઓ આજના યુવાનો માટે માઈલસ્ટોન બનવા જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here