વલસાડ: જમીન વિવાદમાં ઘોલવડથી ભાઈનું અપહરણ કરીને હત્યા બાદ લાશ ઉંમરગામમાં ફેંકીને ફરાર થઈ ગયેલો આરોપી પાંચ મહિના બાદ સેલવાસમાંથી ઝડપાયો છે. અગાઉ આ પ્રકરણમાં પોલીસે આરોપીના સાગરીતોની ધરપકડ કરી હતી.27 જાન્યુઆરીના રોજ ઘોલવડમાં તલાસરી ખાતે વેવજી કાટીલ પાડામાં રહેતા અશોક રમણ ધોડી (52) સાથે અવિનાશ (60)ને જમીન વિવાદ હતો. અશોક શિવસેનાનો નેતા હતો.

અશોકે અવિનાશની ઘરપટ્ટી રદ કરવા માટે વેવજી ગ્રામ પંચાયતમાં અરજી પણ કરી હતી. આ વાતથી અવિનાશ વધુ ઉશ્કેરાયો હતો. તેણે સાગરીતોને ભેગા કરીને 27 જાન્યુઆરીએ અશોકની વેવજી ઘાટમાં હિલઝીલ ડુંગરના વળાંક પર અટકાવી હતી. અશોકને દમદાટી કરીને આરોપીઓએ તેની જ કારમાં તેનું અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરીને મૃતદેહ કાર સાથે ઉંમરગામમાં સરીગામ વાડીયાપાડા ખાતે પાણીથી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી. આ ગુનામાં પોલીસે પાંચ જણની અગાઉ ધરપકડ કરી હતી.

અવિનાશ અને તેના અન્ય ત્રણ સાગરીતો નાસતા ફરતા હતા.દેશમુખે પાલઘર ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પ્રદીપ પાટીલની આગેવાનીમાં વિશેષ ટીમ તૈયાર કરીને અવિનાશને શોધી કાઢવા આદેશ આપ્યા હતા. ટીમે મહારાષ્ટ્રના ઘોલવડ, ઉમરગામ, વાપી, દીવ દમણ, સિલ્વાસા ઈન્દોર, રાજસ્થાનમાં શોધખોળ આદરી હતી. આખરે 8 જૂને રવિવારે પરોઢિયે સિલ્વાસાના મોરખલ ખાતેથી અવિનાશની ધરપકડ કરી હતી. તેને રિમાંડ પર લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. વધુ તપાસ ઉપ વિભાગીય પોલીસ અધિકારી અંકિતા કણસે કરી રહ્યાં છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here