વાસંદા: હાલમાં જ વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે પાવડી ફળીયા પાસેથી આ વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો આવ્યો હતો આ મામલો સામે આવતા વાંસદા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહની આસપાસ પૂજાની સામગ્રી મળી ત્યારે અનુમાન લગાવ્યું છે કે તે કોઈ ભૂવો હોવો જોઈએ.

Decision News ને લોકો પાસેથી મળેલી જાણકારી મુજબ વાંદરવેલા ગામના ફળીયામાં ખુલ્લેઆમ એક વ્યક્તિ પડયો હતો. પહેલા તો અમને લાગ્યું કે આ શખ્સે દારૂ પીધો હોવાથી ભાન ભૂલ્યો હશે. પરંતુ લાંબા સમય સુધી જ્યારે આ શખ્સ દ્વારા કોઈ હલનચલન કરવામાં ના આવતા દાળમાં કંઇક કાળુ લાગ્યું. અને તેમણે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી જઇ પ્રાથમિક તપાસ કરતા આ શખ્સ ભૂવો હોવાનું લાગ્યું.

વધુમાં લોકો જણાવે છે કે રહસ્યમય સંજોગોમાં મળી ભૂવાની લાશ
દરમિયાન પોલીસે આ ઘટનાની વધુ તપાસ કરતા સામે આવ્યું કે ભૂવાનું નામ ઝીણા પટેલ ભગત છે. અને તે વાઘાબારી ગામના કુકણીવાડ ફળીયાનો રહેવાસી છે. ઝીણા પટેલ ભૂવા તરીકે કામ કરતા અનેક લોકોને શિકાર બનાવ્યા. ભૂવા પટેલનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ભૂવા પટેલે કોઈ કારણસર આત્મહત્યા કરી છે કે પછી તેના દ્વારા શિકાર કરવામાં આવેલ કોઈ શખ્સનું કામ પાર ના પડતા તેની હત્યા કરવામાં આવી છે. તે તો પોલીસ તપાસમાં બહાર આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here