ખારેલ રાનકુવા: 24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ખારેલ રાનકુવા સ્ટેટ હાઈવે પર ગણદેવા ગામની સીમમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજ્જા ને લઈ ને હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. મોરબીથી ટાઈલ્સ ભરીને કર્ણાટક જતી ટ્રક (નં. KH – 35 D- 3523) લઈને મંજુનાથા સોમન્ના કુર્બા ( ઉ.વ.37, રહે. કર્ણાટક) ખારેલ રાનકુવા હાઈવે પરથી 13 મે ના રોજ રાત્રે 8 કલાકથી આસપાસ પસાર થતાં હતાં.

દરમિયાન ગણદેવાના ગરીમટોલી ફળિયાની સામે આગળ ચાલતા અજાણ્યાં વાહનને જમણી બાજુથી ઓવરટેક કરવા જતાં સામેથી આવતી વાન (નં. જીજે – 5 જીએ – 9045) અડફેટે ચઢાવતા અકસ્માત સર્જાયો હતો. Decision news ને મળેલી માહિતી મુજબ વાન ડ્રાઈવર જગદીશભાઈ તથા અન્ય બેસેલા શૈલેષભાઈ બાબુભાઈ હળપતિ તથા મનીષભાઈ શૈલેષભાઈ હળપતિને દાઢીના ભાગે ઈજા પહોંચી હતી. જગદીશભાઈને છાતી તથા કપાળના ભાગે તથા જમણા પગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ તમામને ખારેલ હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જેમાં જગદીશભાઈની ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવની વિજયભાઈ ધીરુભાઈ પટેલ (ઉ.વ.49, રહે ગણદેવા, ઝાડી ફળિયા) નોંધાવી હતી. આ બનાવની તપાસ ખારેલ ચોકડીના એ.એસ.આઈ સંદીપ શ્રીરામ કરી રહ્યાં છે અકસ્માત કરનાર ડ્રાઈવરની અટક કરી હતી.