નસવાડી: આજરોજ આદિજાતિ વિભાગ દ્વારા 60 વર્ષના વધુ સમયથી ચાલતી નસવાડીના દુગ્ધા આશ્રમ શાળાને તંત્ર દ્વારા શાળા બંધ કરવાની હિલચાલથી આસપાસના ગ્રામજનો સાથે વાલીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ગાયના દ્રશ્યો સામે આવ્યા છે.
આ આશ્રમ શાળામાં 55 જેટલા બાળકો અભ્યાસ કરે છે. ગ્રાન્ટ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની ચૂકવવામાં આવે છે. જયારે આદિજાતિ વિભાગ દ્વારા બાળકોને રહેવા જમવાની સુવિધા પુરી પાડે છે. વર્ષોથી ચાલતી આશ્રમ શાળામાં નવું બિલ્ડીંગ બનાવવા માટે તંત્રના અધિકારીઓને 10 વર્ષ પહેલા સૂચના આપી હોત તો આજે આ બિલ્ડીંગ જર્જરિતનું બહાનું કાઢીને આશ્રમ શાળાના સંચાલકો આશ્રમ શાળા બંધ કરવા માટેનો પેતરો રચ્યો છે.
લોકોની ચીમકી: 30 જેટલા ગામો માટે આશીર્વાદ સમાન આશ્રમ શાળા છે. વાલીઓ કાઠિયાવાડ મજૂરી કામે જાય છે. ત્યારે આશ્રમ શાળામાં બાળકોને મૂકીને જાય છે. આશ્રમ શાળામાં ભણીને નર્સની નોકરી મેળવનાર રિટાયર્ડ કર્મચારી આક્ષેપ કર્યો કે, શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર આદિવાસી બાળકોને અભ્યાસથી વંચિત રાખવા માંગે છે. આશ્રમ શાળા બંધ કરવામાં આવશે તો જલદ આંદોલન કરીશું. રોડ રસ્તા બંધ કરી દઇશુ અને નેતાઓને આ વિસ્તારમાં આવવા નહિ દઈએ તેવી ચીમકી ઉચ્ચારી છે.

