નવસારી: નવસારી એસ.ટી. ડેપો ખાતે હિટવેવથી બચવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-દશેરા ટેકરીના આરોગ્ય કર્મચારીઓ અને એસ.ટી. ડેપોના અધિકારીઓએ સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજ્યો.
Decision News ને મળેલી માહિતી અનુસાર કાર્યક્રમમાં પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને વધુ ગરમીથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા. લૂ લાગવાના જોખમને કેવી રીતે ટાળી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. પીવાનું પાણી અને ORS દ્રાવણનું મહત્વ સમજાવવામાં આવ્યું.આરોગ્ય વિભાગે મફતમાં ORS પેકેટનું વિતરણ કર્યું.
લોકો ઘરે પણ સરળતાથી ORS બનાવી શકે તે માટે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટાઉન હેલ્થ સુપરવાઈઝર રાજેશભાઈ ચૌધરી, એસ.આઈ. અમિત પટેલ અને સ્ટાફ નર્સ લક્ષ્મીબેન સોલંકીએ સેવાઓ આપી છે.આ પ્રકારની જનજાગૃતિ પ્રવૃત્તિથી લોકો હિટવેવ જેવી કુદરતી પરિસ્થિતિમાં પોતાનું ધ્યાન કેવી રીતે રાખવું તે શીખી શકે છે. સાથે જ આરોગ્ય અંગેની મહત્વપૂર્ણ માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે છે.

