કપરાડા: ઉનાળાની શરૂવાત થતાં જ વલસાડના કપરાડામાં બોર અને અને કુવાના સ્તર ઉતરી જવા અને નળમાં પાણી નહી આવતા મહિલાઓએ જંગલ વિસ્તારના કોતરોમાં પીવાના પાણી લેવા જવા મજબુર થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કપરાડાના અતરિયાળ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા વડોલી ગામે કુડીચાપાણી ફળિયામાં વર્ષોથી પાણીની સમસ્યા ઉભી થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ઉનાળાની શરૂઆતમાં જ ફળિયાના લોકોએ પીવાના પીણા માટે વલખા મારતા દ્રશ્યો જોવા મળે છે. ગામમાં બોરો અને કુવામાં જળસ્તર નીચા ઉતરી ગયા છે. અસ્ટોલ યોજના અંતર્ગત લગાવેલા નળમાં પણ પાણી નહી આવતા તે શોભાના ગાઠીયા બન્યા છે જેના કારણે લોકોએ પોતાના અને પશુઓ માટે રાત્રિના અંધારામાં જીવના જોખમે પાણી લેવા જવું પડે છે.
કપરાડાવાસીઑ કહે છે અમને બીજી કોઈ યોજના નથી જોઈતી, માત્ર પાણીની સુવિધા આપી દો.. ઘરે-ઘરે પાણી પહોંચાડવાનો સરકારના દાવોની વાસ્તવિકતા જમીની સ્તરે જુદી છે. વહીવટીતંત્રએ માત્ર અને માત્ર કાગળો પર જ પાણીની યોજના સાર્થક બતાવી લોકોને અને સરકારને છેતરી છે.

