દાહોદ: દાહોદમાંમાં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી,નગરપાલીકા, પોસ્ટઓફીસમાં E-KYC કરાવવા પોતાનો નંબર પહેલા આવે તે માટે મોડી રાતથી લોકો ધાબળા લઈને આવી જાય છે અને અહીં જ રાતવાસો કરી રહ્યાના દ્રશ્યો બહાર આવ્યા છે. છે.
Decision News ને એવું જાણવા મળ્યું છે કે લોકો આવીને લાઈનમાં ઉભા રહ્યાની સાબિતી સ્વરૂપે પથ્થર, પગરખાં પાણીની બોટલ જેવા મૂકી દે છે. સવારથી ભૂખ્યા તરસ્યા લોકો પોતાના નાના-નાના બાળકોને લઈને KYC કરાવવા દાહોદમાં આવતા હોય છે. ઘણાં સમયથી આ સમસ્યા છે પણ વહીવટીતંત્ર નિરાકરણ કોઈ પગલાં લેતું નથી.
દાહોદના ગામડાના લોકો કહે છે કે આધાર કાર્ડ માટે ઠંડીમાં અડધી રાત્રે અમે આવીએ છીએ ત્યારે આ મુદ્દે જલ્દીથી નિરાકરણ આવે અને આધારકાર્ડ અપડેશન તેમજ KYC ની તમામ પ્રક્રિયા જે તે ગામમાં કરાવવામા આવે તેવી અમારી માંગ છે.

