કપરાડા: લોકોના કામ કરીને લોકોના દિલમાં વસેલા કપરાડા તાલુકાના વારોલી ગામના અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયતના આરોગ્ય અધ્યક્ષ રહેલા બાબુભાઈ નારણભાઈ રાઉતનું ટૂંકી માંદગી બાદ અવસાન લોકસેવાનો એક દીવો ઓલવાયાનું લોકો કહી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બાબુભાઈ રાઉતએ વારોલી તલાટ ગામના સરપંચ બની લોકોના કામ કરવાની શરૂવાત કરી હતી અને બાદમાં વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી કરી અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહીને પણ લોકો સુધી યોજનાકીય લાભો પોહ્ચાડતા રહ્યા. લોકોની અને રાજકીય વર્તુળમાં બાબુભાઈ રાઉતનું નામ આદર સાથે આજે પણ લેવાય છે તેઓ એક સારા રાજકીય નેતા હતા.

બાબુભાઈ રાઉતનું ટૂંકી માંદગી બાદ જ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા. બાબુભાઈની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યા રાજનેતાઓ, કપરાડા તાલુકાના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા તેમની કામગીરીને લોકો વર્ષો સુધી વાગોળશે એમાં બેમત નથી.