ભીલ પ્રદેશ: આદિવાસી સમાજે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત અને આ મધ્યપ્રદેશના 49 જિલ્લાઓને જોડીને નવું રાજ્ય ‘ભીલ પ્રદેશ’ બનાવવાની માંગ કરી છે. રાજસ્થાનના જૂના 33માંથી 12 જિલ્લાને નવા રાજ્યમાં સામેલ કરવાની પણ માંગ છે. રાજસ્થાનના આદિવાસી સમાજે ‘ભીલ પ્રદેશ’ નામના નવા રાજ્યની રચનાની માંગણી કરી હતી, જેને રાજ્ય સરકારે પહેલા જ ફગાવી દીધી છે. રાજસ્થાનના જૂના 33માંથી 12 જિલ્લાને નવા રાજ્યમાં સામેલ કરવાની પણ માંગ છે.

ભીલ સમાજના સૌથી મોટા સંગઠન આદિવાસી પરિવાર સહિત 35 સંગઠનોએ ગુરુવારે મેગા રેલી બોલાવી હતી. રેલીમાં આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે જણાવ્યું હતું કે, આદિવાસી મહિલાઓએ પંડિતોના આદેશનું પાલન ન કરવું જોઈએ. આદિવાસી પરિવારો સિંદૂર લગાવતા નથી કે મંગળસૂત્ર પહેરતા નથી. આદિવાસી સમાજની મહિલાઓ અને છોકરીઓએ શિક્ષણ તરફ ધ્યાન આપવું જોઈએ. હવેથી બધાએ ઉપવાસ છોડી દેવા જોઈએ. અમે હિંદુ નથી.

આદિવાસી પરિવાર સંસ્થા ચાર રાજ્યોમાં ફેલાયેલી છે. બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટી (BAP) ના સાંસદ રાજકુમાર રોતે જણાવ્યું હતું કે, ‘ભીલ રાજ્યની માંગ નવી નથી. BAP આ માંગને જોરદાર રીતે ઉઠાવી રહ્યું છે. મેગા રેલી પછી, એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને એક પ્રસ્તાવ સાથે મળશે.’

બાંસવાડાના માનગઢ ધામ ખાતે યોજાયેલી સભામાં રાજસ્થાન ઉપરાંત મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી લોકો એકત્ર થયા હતા. રાજ્યની સુરક્ષા એજન્સીઓ સભાને લઈને સતર્ક રહી હતી અને મહારેલી વિસ્તારમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ભીલ પ્રદેશની માંગમાં રાજસ્થાનના 12 જિલ્લા અને મધ્ય પ્રદેશના 13 જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આદિજાતિ મંત્રી બાબુલાલ ખરાડીએ કહ્યું કે જાતિના આધારે રાજ્યની રચના થઈ શકે નહીં. જો આમ થશે તો અન્ય લોકો પણ માંગણી કરશે. અમે દરખાસ્ત કેન્દ્રને મોકલીશું નહીં. ખરાડીએ કહ્યું કે ધર્મ પરિવર્તન કરનારાઓને આદિવાસી અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

રાજ્યના પ્રધાન મદન દિલાવરે ગુરુવારે આદિવાસીઓની વંશાવળી પરના તેમના ડીએનએ-સંબંધિત નિવેદન માટે માફી માંગી હતી. તેમણે કહ્યું, ‘હિંદુઓ સમાજનો શ્રેષ્ઠ ભાગ છે. જો મારા ભાષણથી વિપક્ષ કે મારા આદિવાસી ભાઈઓને કોઈ દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.’ વિપક્ષના હોબાળા વચ્ચે દિલાવરે વિધાનસભામાં કહ્યું. 21 જૂનના રોજ, દિલાવરે આદિવાસી નેતાઓની આ ટિપ્પણી પરના પ્રરશ્નનો જવાબ આપતા કહ્યું કે તે અને તેમના સમર્થકો હિન્દુ નથી. તેમણે કહ્યું, ‘અમે તેમના પૂર્વજોને પૂછીશું કે તેઓ હિંદુ છે કે નહીં… અને જો તેઓ કહે કે તેઓ હિંદુ નથી તો અમે તેમનો ડીએનએ ટેસ્ટ કરાવીશું કે તેઓ તેમના પિતાના પુત્ર છે કે નહીં.’