અમદાવાદ: માનવ જ્યોત અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજેલા માનવ જ્યોત પુરસ્કાર સમારંભમા લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીમને વિશિષ્ટ માનવ જયોત પુરસ્કાર (સેવાસજ્જન પુરસ્કાર) એવોર્ડથી ધરમપુર તેમજ કપરાડા તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ થકી લોક સેવાનું કાર્ય બદલ ગુજરાતનાં વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું.

નિલમ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે આ સન્માન થકી લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમને વધુ કામ કરવાની પ્રેરણા આપી છે. અમારી સેવાકીય પ્રવૃતિ વિષે છણાવટ કરી માનવ જયોત પુરસ્કાર (સેવાસજ્જન પુરસ્કાર) માટે પસંદ કરવા બદલ ડો. ભરતભાઈ ભગત અને શ્રી, કુલીનભાઈનો ખુબ ખુબ આભાર પ્રગટ કરું છું.

વધુમાં જણાવ્યું હતું કે અમારી આ કામગીરી વેગ આપવા માટે હંમેશા સહકાર આપ્યો અને આપે છે, એ સૌનો આભાર જે લોકોએ સંસ્થાને અહીં સુધી પહોંચવા માટે કઈ ને કઈ રીતે મદદરૂપ બન્યા છે. એ લોકો થકી જ અમે આ કાર્યો કરી શક્યા છીએ. અમે જે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકીય કામ કરી રહ્યા છે, એ વિવિધ સંસ્થાઓ વતી માનવ જ્યોત ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ..