નવસારી: દિલ્હીનાં માં.મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેનાં વિરોધમાં ગતરોજ આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી લૂંસીકુઈ મેદાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી વિરોધ પ્રદર્શન કર્યો હતો.

જુઓ વિડીયો..

જિલ્લા પ્રમુખ AAP નવસારી પંકજ એલ. પટેલ જણાવે છે કે અરવિંદ કેજરીવાલજીની ED દ્વારા ધરપકડ કરાવામાં આવી હતી તેને લઈને વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનો/કાર્યકર્તાઓની નવસારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.