નવસારી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર ખબર તરીકે સમાચાર પ્રસારિત ન થાય અથવા રાજકીય પક્ષો દ્વારા મતદારોને લોભામણી જાહેરાતો કરીને લોકોને પ્રભાવિત તો નથી કરતા ને..! એ તપાસવા માટે નવસારીના કાલીયાવાડી જિલ્લા સેવા સદનમાં જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર ઉભું કરાયું આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં જ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રે આ મીડિયા સેન્ટરની મુલાકાત લઇ તમામ વ્યવસ્થાની ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ મીડિયા સેન્ટરમા જિલ્લાના ચૂંટણી અધિકારીઓની વિગતો, જિલ્લાના મતદારો અને મતદાન મથકોની સંખ્યા, ઇ.વી.એમ/વી.વી.પેટ અને મેન પાવર, અગાઉની ચૂંટણીઓના પરિણામો, ચેકપોસ્ટ, કાર્યરત ટિમો, સી વિજીલ એપ, ચૂંટણી કાર્યક્રમ, મતદાર વિસ્તારનો મેપ, નોડલ ઓફિસરોની વિગતો, થીમ આધારિત મતદાન મથકોની માહિતી ઉપરાંત ચૂંટણીને લગતી અવનવી વિગતો દર્શાવતા માહિતીપ્રદ પોસ્ટર્સ અને બેનરો પ્રદર્શિત કરાયા છે.

આ મીડિયા સેન્ટરમા જાહેર જનતા માટે જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો નિદર્શિત કરવામા આવી છે. ચૂંટણી પંચ દ્વારા દરેક મીડિયા ચેનલ ઉપર નજર રાખવા માટે મીડિયા હાઉસ ઊભું કરાયું છે. નવસારીમાં માહિતી ખાતાના સહયોગથી કર્મચારીઓ દિવસ દરમિયાન પ્રસારિત થતા સમાચાર ઉપર સતત મોનિટરિંગ કરતાં રહશે.