ધરમપુર: અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તથા શ્રી સાંઈનાથ સેવાભાવિ મંડળ બીનવાડા અને યુવા શક્તિ સંગઠન ભવાડા દ્વારા 14 જાન્યુઆરી 2024 રવિવારના રોજ ભવાડા તલાટ ગામે ગ્રામ પંચાયત કોમ્યુનીટી હૉલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે આ રક્તદાન શિબિરમાં અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ નાં કાર્યકર્તા શ્રી જહિરભાઈ , શ્રી સાંઈનાથ સેવાભાવિ મંડળ બીનવાડા નાં પ્રમૂખ શ્રી યોગેશભાઈ પટેલ, (યોગી) ગણપતભાઈ પટેલ બીનવાડા, અશોકભાઈ પટેલ ચણવઇ (બકુભાઈ) કન્યા કેળવણી ટ્રસ્ટ સાવરમાળ ના પ્રમુખ શ્રી ધનજીભાઈ , જનજાતિ કલ્યાણ આશ્રમના કાર્યકર્તા શ્રી રામુભાઈ પઢેર અને શ્રી રાજેશભાઈ ભોયા, ગામના આગેવાન એવા સરપંચ શ્રી, માજી સરપંચ શ્રી તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભવાડા ગામના યુવાનો અને નજીકનાં ગામના જાગૃત યુવાનો થકી 60 Unit બ્લડ ડોનેશન એકત્ર થયું હતું. આ રક્તદાન શિબિરમાં કન્યા કેળવણી ટ્રસ્ટ સાવરમાળ ના પ્રમુખ શ્રી ધનજીભાઈ દ્વારા રકતદાતાઓને ધાબળા, અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા હેલ્મેટ અને છોડ આપી પ્રોત્સાહિત કરાયું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગામના જાગૃત યુવાનો જયદીપભાઈ ગાયક્વાડ, જીતેન્દ્રભાઈ ગાયકવાડ, ઉર્વેશભાઈ ગાયક્વાડ અને પરેશભાઈ મહાકાળ દ્વારા દ્રારા કરવામાં આવ્યું હતું.