વલસાડ: અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વેમાં થનાર જમીન સંપાદનને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે સંઘર્ષ વધી રહ્યા છે ત્યારે આજે વલસાડના ફણસવાડા ગામના ખેડૂતોની જમીનમાંથી વળતર વગર ઝાડો કાપવાની કામગીરીને હાથ ધરવા પર વિરોધનો સૂર ઉઠયો છે.
એવું જાણવા મળ્યું છે કે ફણસવાડા, અટગામ અને અન્ય એક ગામના ખેડૂતોમાં હજુ પણ 200થી વધુ ખેડૂતોને વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવામાં આવ્યું નથી. જેને લઈને ખુએદુતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ ઉગ્ર બને તે પહેલા અધિકારીઓ ઘટના સ્થળ આવી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા હતા.
ખેડૂતો કહે છે કે એક્સપ્રેસ વે માં જે જમીન સંપાદન થનાર છે તે જમીનમાં જે ઝાડ કાપવાના છે તેનું વળતર અમને હજુ સુધી મળ્યું નથી. જો અમને પ્રમાણમાં વળતર આપી દેવામાં આવે તો અમારો ઝાડ કાપવા દેવા સામે કોઈ વિરોધ નથી પણ જો વળતર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઝાડ કાપવા દેવાના નથી.

