કપરાડા: આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા લિખવડ ગામમાં રાત્રી દરમિયાન એક ઘરમાં સુતેલી મહિલા પર અણીદાર હથિયાર દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે કપરાડાના લીખવડના બાદુશા ફળિયામાં રહેતા ધકાલભાઈ પત્ની નન્ની બેન જ્યારે રાત્રી દરમિયાન પોતાના બાળકો સાથે ઘરમાં ઉઘી રહ્યા હતા તે અવસ્થામાં કોઈ અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘુસ્યો અને તેણે ખુબ જ નિર્મમ રીતે નન્ની બેનના ગળાના ભાગમાં તીક્ષણ હથિયારના ઘા કર્યા અને તેની હત્યા કરી નાખી હતી. નન્ની બેનનો હત્યારો કોણ હતો ? નન્ની બેનની હત્યા કરવા પાછળનું કારણ શું હતું ? વગેરે સવાલોની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ બનાવ સ્થળે પોહચી ગઈ હતી. નન્ની બેન પતિ અને એક પુત્ર કામધંધા અર્થે બહાર ગામ ગયા હતા. આ ઘટનાને લઈને હાલમાં સમગ્ર વિસ્તારમાં લોકોમાં અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પોલીસ તપાસમાં જ હત્યા કર્યા પાછળનું સત્ય બહાર આવશે.