વાંસદા: નવસારી જિલ્લાના વહીવટીતંત્ર લોકોની કચેરી સુવિધા સજાગ કે કાર્યરત હોય એવું લાગતું નથી કેમ કે વાંસદા મામલતદારના મૃત્યુને લગભગ બે મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નવા મામલતદારની નિમણૂંક કરવામાં આવી નથી.
વાંસદાના છેવાડાના ગામડાઓમાંથી 30 થી 35 કિલોમીટરની સફર ખેડીને કચેરીના કામોને લઈને આવતાં લોકોના કામ અટવાઈ રહ્યા છે અને તેઓને ધક્કા પર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. એક બાજુ ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે સેવાસેતુનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જેથી વાંસદા તાલુકાના મહત્વના અધિકારીઓ એમાં જોડાયેલા રહે છે. ત્યારે જનતાના કામો કોણ કરશે.. કચેરીમાં અધિકારીઓ તો દેખાતા નથી બસ કાગડાઓ ઉડી રહ્યા છે.
લોકોના કહી રહ્યા છે કે હાલમાં વાંસદાના મામલતદારનું મૃત્યુ થયા બાદ આજ દિન સુધી નવો કાયમી માલતદાર મુકાયો નથી જેને લઈને અમને મુશ્કેલી ભોગવાનો વારો આવો છે જો આમ જ રહેશે તો અમારા કામોનું શું થશે.. અમારી માંગ છે કે ઝડપથી નવા મામલતદારની મુકવામાં આવે અને અમારા અટકેલા કામો થઇ જાય..

