વાંસદા: લોકમેળાઓએ ગુજરાતની શાન માનવામાં આવે છે, ત્યારે વાંસદા તાલુકાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈ ગામે 5 દિવસ સુધી આ મેળો યોજાશે. જેને લઈને સ્થાનિ્કોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેળાની તાડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના લોકમેળાને આદિવાસી મેળા તરીકે જાણીતા આ મેળામાં ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે દર વર્ષે ૧૪ મી જાન્યુઆરી મકરસંકાંત્રી નિમિતે ઉનાઈમાં ભવ્ય લોક મેળાનું આયોજન થતું હોય છે. જે મેળામાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી તથા ગુજરાતના ખૂણે-ખૂણેથી ભાવિક ભક્તો માતાજીના દર્શન કરીને અહીંના પ્રખ્યાત ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે

આ વિસ્તારના આદિવાસીઓ માતાજી પ્રત્યે આસ્થા ધરાવે છે. જેઓ માતાજીને બાધા ચઢાવવા સાથે ઉત્તરાયણમાં ગોળ, તલનું દાન મહત્વ હોવાથી ભક્તો અહીં આવી દાન પુણ્ય કરે છે. મેળાની તડામાર તૈયારી શરૂ થતા, વેપારીઓ સાથે રાઇડ્સોના વ્યવસાયકારોના ચહેરા ઉપર રોનક જોવા મળી રહી છે. તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિવિધ રાઈડ્સોની ગોઠવણ કરાતા બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો સહિત મહિલાઓઆ લોકમેળામાં આનંદ માણવા આવશે.