વાંસદા: આજરોજ વાંસદા તાલુકાની પ્રતાપનગરમાં આવેલ માધ્યમિક ગ્રામ શાળા દ્વારા શ્રી વાલ્મિકી આશ્રમશાળા રાયબોરમાં NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી વાલ્મિકી આશ્રમશાળાના આચાર્ય ભૂપેશભાઈ વહિયાનો સહકાર મળ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ શિક્ષણના ભાગરૂપે બાળકોમાં સમૂહ જીવન ,ગ્રામ સફાઈ સ્વાવલંબન જેવા ગુણોના વિકાસ થઈ સમાજ સેવા તરફ વળે એ આશયથી દર વર્ષે માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગર દ્વારા વિવિધ સ્થળોએ N.S.S કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વાંસદાથી અંતરિયાળ એવા રાયબોર ગામ ખાતે આવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 1 જાન્યુઆરી 2024 થી 7 જાન્યુઆરી 2024 સુધી શ્રી વાલ્મિકી આશ્રમશાળા રાયબોરમાં રોકાય વિવિધ સામાજિક પ્રવૃત્તિ કરાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ઉપસ્થિત માધ્યમિક શાળાના આચાર્ય મિનેશભાઈ તથા આશ્રમશાળાના આચાર્ય, શાળા પરિવાર, માધ્યમિક શાળાના શિક્ષકો યોગેશભાઈ બીપીનભાઈ પારુલભાઈ તથા બાળકો જોડાયા હતા .  બાળકોને N.N.S ના ઉદ્દેશ્ય,મહત્વ,જરૂરિયાત તથા કરવાની પ્રવૃત્તિની સમજ શાળાની શિક્ષિકાબેન હેમાંગીની. આર.પટેલ દ્વારા કરવામાં આવી હતી.