વાંસદા: વર્તમાન સમયમાં વાંસદા તાલુકાના ગામડાઓમાં વસતાં આદિવાસી લોકોમાં અયોધ્યા મંદિરના શુભારંભ થવાને લઈને ધર્મ જાગરણ સમન્વય ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા શબરી માતા કી જય, ‘આમી પ્રકૃતિ પૂજક આહવ’, અને ‘આમી હિન્દુ આહવ’ જેવા સૂત્ર લખેલી પત્રિકાઓ અને શબરી અને રામના બિલ્લાઓ વહેચવામાં આવી રહી છે.
માનકુનીયા ગામના યુવાનો જણાવે છે કે આદિવાસી એ હિન્દૂ નથી….આદિ કાળથી આદિવાસી જ છે અને રેહશે….એને ખોટી રીતે હિન્દુ કહેવામાં આવે છે….અમે કોઈ હિન્દુ નથી.. અને સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયારે ઘણા નિર્ણયોમાં આદિવાસી હિંદુ નથી એમ કહી દેવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારનો પ્રચાર- પ્રસાર કરીને આદિવાસી લોકોને ભ્રમિત કરવાનું જે ષડ્યંત્ર જે વાંસદા વિસ્તારમાં રમાઈ રહ્યું છે જેનો આદિવાસી યુવાનો વિરોધ કરી રહ્યા છે.
આ પ્રકારનો પ્રચાર પ્રસાર વાંસદા તાલુકાના ગામડાઓમાં ચાલી રહ્યો છે ત્યારે આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે વાંસદાના માનકુનીયા ગામના યુવાનોના હાથમાં પત્રિકા આવી. અને તેઓ દ્વારા આ પત્રિકાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

