વાંસદા: નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે પણ વાંસદાનું વહીવટીતંત્ર ચેંડા કરતુ હોય તેમ વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામમાં આવેલી આંગણવાડી કથળેલી સ્થિતિમાં છે અને ત્યાં દરરોજ નાના ભુલકાંઓ જ્ઞાન મેળવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ગામના જાગૃત યુવા જીતેશભાઈ Decision News ને જણાવે છે કે અમારા ગામની આ આંગણવાડી હાલત ખુબ ખરાબ છે. આંગણવાડીનો દરવાજો કથળેલી હાલતમાં હોવાથી રખડતાં ડુક્કરો અને કુતરાઓ ભરાઈ જઈ બાળકને જે જમવાનું પીરસાવાનું હોય છે તે એઠું કરી જાય છે. આમ આંગણવાડીમાં જ્ઞાન લેવાં આવતા નાના ભુલકાંઓના સ્વાસ્થ્ય સાથે ચેંડા થઇ રહ્યા છે. આંગણવાડીની બારીઓના પણ ઠેકાણાં નથી. આ મુદ્દે આંગણવાડી તરફથી ગામના સરપંચ બાબુભાઇને જાણ કરી હતી તે જોવા આવે છે પણ તેનું સમારકામ નહિ કરતાં..? તંત્રએ પણ આ બાબતે સંભાળ લેવી જોઇઅતિ હતી તે લેતા નથી. જાણે એ પણ બાળકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યું હોય.
છેલ્લાં એક વર્ષથી વધારે સમય વીતી ગયો છે. પણ આ આંગણવાડીનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. ગામનો સરપંચ બાબુભાઈ દર વખતે આંગણવાડી જોવા આવે છે ખરા ? સમારકામ અને નવા કામ કરવાના સપના પણ બતાવે છે. પણ કામ કરતા નથી.. હા સરપંચ મટીને કદાચ નેતાના લક્ષણ આવી ગયા હશે બાબુભાઈમાં.. એટલે ગ્રામજનોને પણ વાયદા અને વચનો આપ્યે રાખે છે. હવે આવનારા સમય આ બાબતને લઈને વાંસદાનું વહીવટીતંત્ર શું પગલા ભારે છે એ જોવાનું રસપ્રદ રેહશે.

