ચીખલી: બે દિવસ પહેલા ચીખલી તાલુકાના ઢોલુમ્બર ગામના ઉપલા ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનું ઘર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન થયેલ અને વિધવા મહિલાનું પરિવાર ભારે સંકટમાં મુકાયેલ છે આ વાતની જાણ સમસ્ત આદિવાસી સમાજની ટીમ તેની મદદે પોહચી હતી.

નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ, ડો.દિવ્યાંગી નિરવ પટેલ અને એમની ટીમના મંગુભાઇ, ઉમેશભાઈ, મયુર, કાર્તિક, ચકો મોગરાવાડી સહિતનાઓ દ્વારા પરિવારને આશરે 1-1.5 મહિના ચાલે એટલા અનાજ કરિયાણાની સહાય કરવામાં આવી. નોંધનીય બાબત એ હતી કે સવારે ઘર સળગ્યું અને સાંજ સુધીમાં તો ગામલોકોએ પાઘડી ફાળો કરીને નવા પતરા,જમવાની,ઢોર-ઢાંખર માટે ચારોપાણી સહિતની 90% વ્યવસ્થા કરી આપી માનવતા મહેકાવી ગ્રામ્યજનોની એકતાના દર્શન કરાવ્યા.

આ પ્રસંગે ડો.નિરવ પટેલે Decision News સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારે ટીમ સાથે પીડિત પરિવારને મદદરૂપ થવા જવાનું થયું ત્યારે આશરે 250-300ની આસપાસ લોકોએ ઉપસ્થિત રહી યથાશક્તિ મદદરૂપ થવાના અમારી ટીમના આ પ્રસંગને દીપાવ્યો.આવી જ એકતા,ભાઈચારો અને સંપ દેશના તમામ પ્રદેશના લોકો રાખશે તો દેશનું કોઈપણ વ્યક્તિ દુઃખી નહીં રહેશે.