ગુજરાત: ચુંટણી પંચે ગતરોજ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે. જેને લઈને ગુજરાતમાં AAPના નેતાઓમાં અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે
इतने कम समय में राष्ट्रीय पार्टी? ये किसी चमत्कार से कम नहीं। सबको बहुत बहुत बधाई
देश के करोड़ों लोगों ने हमें यहाँ तक पहुँचाया। लोगों को हमसे बहुत उम्मीद है। आज लोगों ने हमें ये बहुत बड़ी ज़िम्मेदारी दी है
हे प्रभु, हमें आशीर्वाद दो कि हम ये ज़िम्मेदारी अच्छे से पूरी करें
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 10, 2023
આટલા ઓછા સમયમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવો કોઈ ચમત્કારથી ઓછો નથી. કેજરીવાલે તમામ કાર્યકરોને અભિનંદન પણ પાઠવ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું કે દેશના કરોડો લોકો અમને અહીં લાવ્યા છે. લોકોને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે લોકોએ અમને મોટી જવાબદારી સોંપી છે. હે ભગવાન, અમને આશીર્વાદ આપો કે અમે આ જવાબદારી સારી રીતે નિભાવીએ. આ સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે “કોઈ એવો વિચાર રોકી શકતું નથી જેનો સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે. ભારતનો સમય આવી ગયો છે.”
AAPના નવસારીના પ્રમુખ પંકજ પટેલ જણાવે છે કે આમ આદમી પાર્ટીમાં માત્ર 10 વર્ષમાં જે કરી બતાવ્યું છે તે કરવામાં દશકાઓ લાગતાં હોય છે ત્યારે આ તો ચમત્કારથી કાંઇ ઓછું નથી. હું આપના દરેક કાર્યકર્તાને સલામ કરું છું જેમણે આ પાર્ટી માટે લોહી, પરસેવો વહાવ્યો, લાઠીઓ ખાધી છે. પાર્ટીની નવી શરૂઆતને લઈને દરેકને ખૂબ ખૂબ અભિનંદન.”

