ખેરગામ: વલસાડ થી ખેરગામથી જોડતો મુખ્ય રોડની નવીનીકરણની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે જેના લીધે અવરજવર કરતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ કામગીરી જો ઝડપી ન બને તો લોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે પણ ખરાબ રોડને કારણે ચોમાસા દરમ્યાન અનેક લોકોએ કિંમતી જાનમાલનું નુકસાન સહન કરવું પડેલ હતું અને તંત્રની વેઠીયાવાડ જેવી કામગીરી જોતા આ વખતે પણ રાહદારીઓ ભારે નિરાશા સાથે ચોમાસુ અતિશય મુશ્કેલી ભર્યું જ જશે એવો અંદાજો લગાવી રહ્યા છે.

આ બાબતે ખેરગામ આદિવાસી સમાજ યુવાઓ ડો.કૃણાલ, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, ડો.નીરવ ગાયનેક, ડો.પંકજ, ઉમેશ પટેલ વાડ, ઉમેશ મોગરાવાડી, કાર્તિક, પ્રિતેશ, ભાવેશ,ભાવિન, જીતેન્દ્ર, મિતેશ, પથિક, મંગુભાઈ અને ચિંતુબા હોસ્પિટલના સ્ટાફ મયુર, જીગર, વંદના, નિતા, આયુષી, મનાલી સહિતનાઓએ નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખેરગામ મામલતદાર મારફતે વલસાડ કલેકટરને સમસ્ત જનહિતમા રોડ જલ્દી બનાવી પ્રજાજનોની હાલાકી નિવારવા માંગણી કરી રહ્યા છે અને જો માંગણી નહીં સંતોષવામાં આવે તો રોજ અવરજવર કરતા હજારો લોકોની તકલીફ નિવારવા અને સુતેલા તંત્રને જગાડવા ગતવર્ષની માફક આંદોલન કરવા પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.