વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંકલાસ ગામમાં સાઈ કથાનું સાત દિવસ માટે પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે નવસારી જિલ્લાના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ વાંસદા અમૃત હોસ્પિટલના ડો. સોનલ પટેલ હાજર રહ્યા હતા
જેમાં દીપ પ્રાગટ્ય તરીકે વાંસદા ડાંગી હોટલના માલિક ભુપેન્દ્ર પટેલ વાંસદા શાસક પક્ષના નેતા બીપીન માહલા જિલ્લા પંચાયત સભ્ય અંબાબેન માહલા ચંદુભાઈ જાદવ સતીમાળ ગામના સરપંચ શ્રી નાનું ભાઈ માહલા સરપંચ શ્રી રૂપેશભાઈ ગાવિત તથા મણિલાલ ગામીત સાહેબ તેમજ મોટી સંખ્યામાં સાંઈ ભક્તો હાજર રહ્યા હતા
ડો. વિશાલ પટેલને જણાવ્યું હતું કે શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈપણ કામ થતું નથી જેથી આપણે આપણા લક્ષ પર ધ્યાન રાખી આપણું કોઈ પણ કામ કરવું જોઈએ આપણે કોઈપણ દેવોમાં માનતા હોય જેમાં શ્રદ્ધા રાખી આપણે આગળ વધવું જોઈએ

