ગુજરાત: ગુજરાતના રાજકારણને લઇને કોંગ્રસના વિધાયક દળના નેતાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે, શૈલેષ પરમાર અથવા સી.જે ચાવડા વિપક્ષ નેતા બની શકે છે. પ્રદેશ નેતૃત્વએ આ બંને નામ મોકલી આપ્યા છે.
જો પાટીદાર ચેહરાને બનાવાય તો કિરીટ પટેલને પણ વિપક્ષ નેતા બનાવાઈ શકે. શૈલેષ પરમારનું નામ લગભગ નક્કી હોવાનું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજુ અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ નેતા બનવાની ના પાડી દીધી છે. અર્જુન મોઢવાડિયાએ કોઈ નવા ચેહરાને વિપક્ષ નેતા બનાવવા જણાવ્યું છે

